
*મો.ન.પા. વોર્ડ નં.૭ ના પૂર્વ કાઉન્સિલર ભાવીન ગીરીશભાઈ ઘેલાણી ના સહયોગ થી હનુમાન જયંતિ ની પ્રેરક ઉજવણી*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોરોના ની મહામારી મા પણ સર્વજ્ઞાતિય વિવિધ સેવા પ્રદાન કરવા મા આવી રહી છે ત્યારે હનુમાન જયંતિ ના પાવન પર્વ નિમિતે કોરોના ની મહામારી ના પગલે સંસ્થા ના અગ્રણી ભાવીન ગીરીશભાઈ ઘેલાણી (પૂર્વ કાઉન્સિલર-મો.ન.પા.) ના સહયોગ થી આખો દીવસ સર્વજ્ઞાતિય ૫૦૦૦ માસ્ક નુ જલારામ મંદિર ખાતે થી વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે તેમજ સંસ્થા ના અગ્રણીઓ શહેર ના વિવિધ હનુમાન મંદિરો મા હનુમાનજી મહારાજ ની આરાધના કરી સમગ્ર વિશ્વ ને આ મહામારી ના સંકટ માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવા મા આવશે તેમ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
