
મોરબી જીલ્લામાં ચોમાસુંસીજન પહેલા ખેડૂતો બિયારણનીખરીદી કરતાં હોય છે ત્યારે ઘણા વેપારીઓદ્વારા નકલી બિયારણનું ગેરકાયદે વેચાણ કરવામાંઆવતું હોય છે આવા નકલી બિયારણનું વેચાણ કરતાવેપારીઓની તપાસ કરીને નકલી બિયારણનું મોરબીજીલ્લામાં વેચાણ કરતાં અટકાવવામાટે જુદીજુદી સંસ્થાના આગેવાનો દ્વારાસીએમને રજૂઆત કરવામાં આવી છે ચોમાસું નજીક છે. ત્યારે ખેડુતો ખેતરમાં વાવણી કરતાં હોય છે ત્યારે અમુક વેપારીઓ નકલી બિયારણ ધાબડતા હોયછે માટે એગ્રો ધારક અને દુકાનદારો પર બાજ નજરરાખવા સીએમ દ્વારા ખેતીવાડી અધિકારીઑને યોગ્ય આદેશો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવિ છે મોરબી જીલ્લાના તમામ બિયારણ એગ્રો ધારકો અને દુકાનદારો વધુ પૈસાકમાવવાની લાલચ રાખી નકલી બિયારણ કે જંતુનાશક દવા વેચવાનો ગોરખ ધંધો કરતા હોય તો તેઓને નકલી બિયારણ ન વેચવા માટે અપીલ કરવામાં આવી છે કેમ કે. નકલી બિયારણ કોઈ ખેડૂતને વહેંચો છો તો એ બિયારણ વાવે છે જો કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોદેણદાર બને છે અને ઘણા ખેડુતઆત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે ખેડુતો પ્રત્યે દયા ભાવના રાખવા અને નકલી બિયારણ વેચતાતત્વોને કંટ્રોલ કરવામાટે હડમતિયાના સામાજીક કાર્યકર રમેશ ખાખરીયા, લજાઈ ગૌતમભાઈ વામજા,વાંકાનેર અર્જુનસિંહવાળા, મોરબી કાંતિલાલ બાવરવા,ગ્રાહક સુરક્ષાના લાલજીભાઈ મહેતાએ ખેતીવાડી અધિકારીને રજૂઆતકરી છે.
