
યોગ કોચ, રૂપલબેન એ આશરે 400 જેટલી બહેનોને યોગના માધ્યમથી જોડી નિરોગી જીવન જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને જગાડી. તેઓ 15 મી ઓગષ્ટ ના દિવસે ધ્વજ વંદના તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં અતિથિ વિશેષ તરીકે, લલીતભાઈ ભાલોડીયા, પતંજલિ યોગ સમિતિના નરશીભાઈ અંદરપા, ભારતીબેન રંગપરીયા, રણછોડભાઈ જીવાણી, સંજયભાઈ રાજપરા(વકીલ), ભુદરભાઈ જગોદણા(યોગ શિક્ષકો) ઉપસ્થિત રહ્યા હતા.
યોગ ને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરી, દેશ ભક્તિ ના ગીતની થીમ થી એક અલગજ પ્રકારનો સંદેશ સમાજ ને મળે એવો પ્રયાસ યુવા આર્મી ગૃપના સહયોગથી રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી.
