

*વર્ષ-૧૯૫૬ થી મોરબી મા વકીલાત ક્ષેત્રે અગ્રેસર મોરબી ના શાહ પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ સદાવ્રત મા મોરબી ના જાણીતા એડવોકેટ સ્વ.ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ.કુમુદબેન શાહ ના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્ર એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ, એડવોકેટ શ્રી સૌરભભાઈ શાહ, પૌત્ર એડવોકેટ શ્રી અકીકભાઈ શાહ તથા ડો.ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ-૧૯૫૬ થી મોરબી મા વકીલાત ક્ષેત્રે કાર્યરત મોરબી ના શાહ પરિવાર દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જીતુભાઈ કોટક, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ એ સમસ્ત શાહ પરિવાર ને બિરદાવ્યો હતો તેમજ પરિવાર ના મોભી સ્વ.ગુણવંતરાય શાહ તથા સ્વ.કુમુદબેન શાહ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
