ડીસાથી બિલાડા આઈ માતાજી સંઘના આયોજક પરિવારનું જલારામ સત્સંગ મંડળ દ્રારા કરવામાં આવેલ સન્માન
ડીસાથી બિલાડા આઈ માતાજી દર્શેનાર્થે જવા માટે આદરણીય ભોજરાજભાઈ લવજીભાઈ ઉડેચા પરિવાર ડીસા દ્રારા 10 લકઝરી બસોના માધ્યમથી યાત્રા સંઘનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવેલ છે.યાત્રા સંઘના પ્રારંભે ડીસા સ્થિત ભોજરાજભાઈના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરબાઈ માતાની ભજન સ્વરૂપે પધરામણી થતાં આનંદનો માહોલ જામ્યો હતો.
આ દિવ્ય અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા સંઘ પરિવારના આયોજક કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર,હેમલતાબેન,જયશ્રીબેન સહિત સમગ્ર પરિવારનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે ઉપસ્થિત જલારામ ભકતો સર્વ ભગવાનભાઈ બંધુ,શાંતિલાલ વકીલ,ડો.પી.પી.ઠકકર,તારાચંદભાઈ પી.ઉડેચા,નવીનભાઈ પ્રજાપતિ,મહેશભાઈ ઉડેચા,નટુભાઈ લીંબાચીયા,આત્મારામભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર,શશીકાંતભાઈ ડી.ઠકકર સહિત સૌએ સંઘ આયોજક પરિવારને અઢળક શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું.સંઘ પરિવારે ગૌસેવા હેતુ જલારામ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 11111 (અગીયાર હજાર એકસો અગીયાર)નું યોગદાન અર્પણ કર્યું હતું.
