
નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના માર્ગદર્શન મુજબ અત્રેના સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા આજરોજ તા. 30/10/2021 ના કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેર નગર, મોરબી મુકામે છઠ્ઠા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન, સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ. સાથે ‘ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ’ આયુર્વેદના પ્રયોજનને સાર્થક કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ ANARDE Foundation દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. જનતાએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો.
