*અહેવાલ અને તસ્વીર કૉશિક કોટક*
ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાના પુત્ર સાથે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જતાં ત્રણેયના કરૂણ મૃત્યુ નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં દિવાળીના સપરમાં દિવસોમાં જ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.
આ કરૂણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા પાર્થ અતુલભાઈ દેવમુરારી ઉ.18 અને પાવન અતુલભાઈ નિમાવત ઉ.16 નામના તેમના ભાણેજ દિવાળીનો તહેવાર કરવા આવ્યા હોય આજે મામા હિતેશભાઈના પુત્ર મેહુલ ઉ.20 સાથે અહીંના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા જ્યાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મૃત્યુ નિપજયા હતા.
