શરદ એમ.રાવલ.. હડિયાણા..
🇮🇳 જય હિન્દ 🇮🇳 વંદે માતરમ્ 🇮🇳
આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે વસંતભાઈ શામજીભાઈ ગાંભવા ની સુપુત્રીઓ ચિ. જલ્પાબેન અને ચિ. અપેક્ષાબેન ના વિવાહ પ્રસંગમાં ગાંભવા પરિવાર દ્વારા આપણા રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી) ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી. જેમાં ખારચિયા ગામ નિવાસી રમેશભાઈ છગનભાઈ અંદોદરીયા પોતાના સુપુત્ર ચિ. જય ની જાન લઈ પધારેલ તેમ જ લખતર નિવાસી અમૃતભાઈ કલાભાઈ બોડા પોતાના સુપુત્ર ચિ. કુલદીપ ની જાન લઈ પધારેલ. સરકારશ્રીના આદેશ મુજબ અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ત્રણેય પરિવારે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં વિવાહ ઉત્સવની સાથે સાથે દેશભક્તિનાં રંગે રંગાઈને, રાષ્ટ્રગીત અને દેશભક્તિના નારા લગાવીને 73 પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.
વિવાહ ઉત્સવની સાથે દેશભક્તિના પર્વની ઉજવણી કરીને ત્રણેય પરિવારે સમાજ ને એક નૂતન માર્ગ નિર્દેશ કર્યો હતો. પ્રસંગમાં હાજર તમામ જાનૈયા અને માંડવા પક્ષના લોકો પણ દેશભક્તિના રંગે રંગાઈને આ એક અનોખા વિવાહ ઉત્સવમાં જોડાઈને બંને નવ વિવાહિત યુગલને આશીર્વાદ અને વિવાહની શુભકામનાઓ પાઠવી હતી…..
