*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
સેંદરડા – સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . સેંદરડા – સેતરાના રોડ તા . મહુવા, જી . ભાવનગર ખાતે આવેલ હઝરત શેલારશાહપીર અને હઝરત મમદશાહ પીરનો ઉર્ષ તા . ૧૨-૨-૨૦૨૨ શનિવાર (મુ.તા. ૧૦ રજજબ ) ના શાનો શૌકતથી ઉજવવામાં આવ્યું હતું . જેમાં ઉર્ષના દિવસે ન્યાઝ સહિત ધાર્મિક કાર્યફમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘાંચી સમાજના સેલોત તથા મહીડા વિગેરે અટક ધરાવતા, ઘાંચી પરિવારના કુળપીર હઝરત શેલારશાહ પીર તથા હઝરત મમદશાહ પીરનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનોશૌકતની ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જુનાગઢ, પોરબંદર, ગીર – સોમનાથ સહિત જીલ્લાના ઘાંચી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. શેલારશાહ પીર દરગાહ ઉર્ષ કમીટી દ્વારા અકીદતમંદોને હાજરી આપી સવાબે દારૈન હાસીલ કરવા તથા દુવા સલામ કરવામાં આવ્યા હતા ઉર્ષમાં હાજરી દરમિયાન માસ્ક અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ તકેદારી રાખવા અપીલ કરવામાંઆવી છે . અત્રે ઉલ્લેખનીય છે કે, કોમી એકતાના પ્રતિકસમી આ દરગાહ પ્રત્યે લોકો અનેરી આસ્થા ધરાવે છે અને સેંદરડા – સેતરાના રોડ ઉપરથી પસાર થતાં લોકો આ દરગાહની અવશ્ય સલામી લે છે . ઘાંચી, સેલોત, મહીડા પરિવારના કુળપીર હોવાથી મોટી સંખ્યામાં પરિવારો અહીં હાજરી આપે છે અને માનતાઓ પણ પૂર્ણ કરે છે.
