શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે તે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક છે અને શિક્ષણ નો સાથે સાથે બાળકોને પ્રવૃતિમય રાખવાનો પણ સારો એવો પ્રયાસ કરે છે તેમને એક નવો પ્રયોગ કર્યો હતો કે બાળકોના જે લેશનના ચોપડા હોય છે તે પૂરા થઈ ગયા પછી તેઓ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અથવા તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી તો સામાજિક વિજ્ઞાન ના શિક્ષકે તેનો એક સુંદર પ્રયોગ હાથ ધર્યો એટલે કે આવા નકામા ચોપડા ને પલાળીને તેને કઈક સુંદર આકાર આપી ને શાળા માં કે ઘર માં તેનો શણગાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે આ પ્રયોગ માં કોઈ પણ પ્રકાર નો ખર્ચો નથી અને નકામા કાગળ નો પણ સદુપયોગ થશે એટલે કાગળ કચરાપેટી માં જવાના બદલે શાળા માં શણગાર નું કામ કરશે અને આ પ્રવૃત્તિ શાળા ના સમયે નહિ પણ રજા ના દિવસ માં આપવામાં આવી હતી બાળકો એ અલગ અલગ સુંદર આકારો સાથે સુંદર અને અદભૂત વસ્તુ બનાવી હતી
આ પ્રયોગ નો એક મુખ્ય ધ્યેય એ હતો કે વધતા જતા પ્રદૂષણ ને ઓછું કરી દેશ ને પ્રદૂષણ મુકત બનાવવું અને બાળકોમાં સુંદર સર્જનાત્મક શક્તિ કેળવવાનો