
દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી માં આપવામાં આવે છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુબાવત વિશ્વા નરેન્દ્રભાઈ એ ધો.6 માટેની જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા જાનકીબેન પિતા નરેન્દ્રભાઈ, ગામ તથા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે, તે બદલ વિશ્વાબેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
