મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહ યોજાશે ત્યારે વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવશે અને આ માટે જરૂરી ફોર્મ મેળવવા અને પરત કરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૧૧/૯ ના રોજ લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે અને લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાનાર સરસ્વતિ સન્માન સમારોહમાં ધો.૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તેમજ ઇનામો આપવામાં આવશે તેના માટે સંસ્થાના પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાએ જણાવ્યુ છે કે, ફોર્મ લેવા અને ભરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે અને આ ફોર્મ મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદીર વાળી શેરી), દરીયાલાલ આલુ ભંડાર ( નવા ડેલા રોડ) તેમજ કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ (નવા બસ સ્ટેન્ડની સામે) આપવાના રહેશે વધુ માહીતી માટે પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાના તથા પ્રોજેકટ ચેરમેન રવિભાઇ કોટેચાનો સંપર્ક કરવાનો રહેશે