• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર:સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કય પણ નિર્ણય ના આવતા જીતુભાઈ સોમાણી ના સમર્થન માં મંગળવારે ગામ બંધનું એલાન*

તા: ૨૯-૮-૨૦૨૨

 

વાંકાનેર : સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કાઈ નિર્ણય ન આવતા જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મંગળવારે ગામ બંધનું એલાન

 

વાંકાનેરમાં ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડની મંજૂરી મુદ્દે જીતુભાઈ સોમાણીના ચાલતા ઉપવાસ આંદોલનમાં શનિવારે સંતો-મહંતો,આર.એસ.એસ, વિહિપ,શિવસેના ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, ધાર્મીક-સામાજિક સંસ્થાઓ તેમજ સામાજીક અગ્રણીઓની જીતુભાઈ સોમાણીના સમર્થનમાં શનિવારે રાત્રે એક મિટિંગ ઉપવાસ છાવણી ખાતે મળી હતી અને સોમવારે ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સામાજિક અગ્રણી દ્વારા સોમવારે તમારી માંગણી મુજબ તમને ગ્રાઉન્ડની મંજુરી મળી જશેની ખાત્રી મળતા સોમવારે ગામનું બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ સોમવારે તંત્ર દ્વારા જીતુભાઈ સોમાણીને મંજૂરી ન મળતા ધાર્મિક સંગઠનો તેમજ ધર્મપ્રેમી લોકોમાં રોષની લાગણી ફેલાય હતી.

ત્યારે સોમવારના રોજ રાત્રે ૯ વાગ્યે ઉપવાસ છાવણી ખાતે બીજીવાર મિટિંગ મળી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, તેમજ અગ્રણીઓ દ્વારા આવતીકાલે મંગળવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું ઉપરાંત સવારના ૧૦ વાગ્યે સૌ વેપારી સંગઠનો, એસોસિએશનો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાનો શ્રીરામ કોમ્પલેક્ષ ઉપવાસ છાવણી ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.

Related posts

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે 75 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા:પ્રમુખશ્રી વી, એસ,માનસાતા ના અધ્યક્ષ સ્થાને વકીલ મંડળની બેઠક યોજાઇ*

editor

*મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા રવાના*

Hello Morbi

Leave a Comment