

ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનું જોરદાર આયોજન થાય છે.વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સામાજીક આગેવાનો પણ તેનો લાભ લે છે.ગત ગુરૂવારે એ.પી.એમ.સી.,સમસ્ત સોની સમાજ,સમસ્ત બારોટ-બ્રહ્મભટ સમાજ,અખિલ ભારતીય સાહિત્ય પરિષદ,સીકુરામ સેવા ટ્રસ્ટ,સર્વ સકારાત્મક શકિત કેન્દ્ર,રામચરિત માનસ મંડળના અગ્રણીઓ દર્શનાર્થે પધાર્યા હતા.
અગ્રણીઓ સર્વ માવજીભાઈ દેસાઈ(ચેરમેન),કરસનભાઈ પટેલ,અમૃતલાલ જોષી,છગનલાલ સોની,રસિકલાલ ચાંપાનેરી,હિરેનભાઈ સોની,વ્રજેશભાઈ સોની,સરોજબેન સોની,જાગૃતિબેન સોની,વર્ષાબેન ત્રિવેદી,શશીકાંતભાઈ ત્રિવેદી,જયંતિભાઈ ઓઢાવાળા,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,દેવચંદભાઈ એન.ઠકકર,કનુભાઈ તૃપ્તિવાળા,પૂજાબેન ઠકકર,મનોજભાઈ બારોટ,ધવલભાઈ બ્રહ્મભટ્ટ,કનુભાઈ આચાર્ય,નટુભાઈ વ્યાસ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,પરમાનંદભાઈ શર્મા,પ્રવિણભાઈ નાઈ,નરસિંહભાઇ દેસાઇ,ચંદુભાઈ એટીડી,દિનેશભાઈ કવિરાજ ,અલ્પેશભાઈ દેસાઈ,મુકેશભાઈ સાંખલા સહિત સૌ અગ્રણીઓનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.
આ અવસરે જલારામ મંદિરના સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ,મહેશભાઈ મનવર,શશીકાંતભાઈ ડી.ઠકકર,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,શારદાબેન આચાર્ય સહિત સૌએ આગેવાન મહેમાનોને આવકારી સન્માન કર્યું હતું. સૌએ મહાઆરતી તેમજ ખીચડી-કઢીના પ્રસાદનો લાભ લઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ જલારામ મંદિરના માધ્યમથી થતી અભૂતપૂર્વ માનવસેવાનાં ભરપેટ વખાણ કર્યાં હતાં.
