*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
*વિધાર્થી ભાઈઓ બહેનોએ સમતામૂલક સમાજ માટે સંકલ્પ લીધા*
મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકર જ્યારે દુનિયાની શ્રેષ્ઠ ઉપાધિઓ સાથે સૌપ્રથમ ગાયકવાડ રાજની સેવામાં ગુજરાત આવ્યા ત્યારે તેમનું સન્માન અને વિશેષ સ્થાન હોવું જોઈએ કેમકે તેમણે ભારત દેશને ગૌરવવંતુ કર્યુ હતુ…….પણ અહી જે તેમનું અવમાન અને અપમાન થયુ તે માનવતાથી પર હતુ. તેમણે એક અમાનવીય સામાજિક વ્યવસ્થા પરિવર્તન માટે પ્રણ લીધું તેમના વિચારોમાં જણાવીએ તો જાતી વિહીન સમાજની રચના વિના સ્વરાજ્ય પ્રાપ્તિનો કોઈ વિકલ્પ નથી તેમણે પ્રતિજ્ઞા લીધી કે “જ્યાં સુધી હું મારા બાંધવો ને આ અમાનવીય પરંપરામાંથી મુક્તિ નહિ અપાવીશ ત્યા સુધી હું જંપીશ નહિ અને જો હુ આવુ કરવામા નિષ્ફળ નિવડુ તો બંદૂકની ગોળી મારી મારા જીવનનો અંત આણીશ” આ દ્રઢ સંકલ્પ એટલે આજનો સંકલ્પ દિવસ અને સંકલ્પ ભૂમિ એટલે વડોદરા…. કમાઠીબાગ ગુજરાત. આ સ્વતંત્રતા અને આમ જનતાની આઝાદીનો શંખનાદ હતો….અને આજના દિવસે બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર કોડીનાર ખાતે કેન્દ્રીય અને રાજ્ય સેવાની તાલીમ લેનાર તાલીમાર્થી ભાઈઓ બહેનો દ્વારા આજ રોજ રાષ્ટ્રીયતા નિર્માણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ પોતાની કારકીર્દી અને નોકરીમાં સેવારત થયા બાદ સમાજ ઉપયોગી બનશે તેવો લેખિત સંકલ્પ લીધો હતો.આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રો.પી.પી.રાઠોડ સાહેબ દ્વારા પ્રેરણાદાયક પ્રવચન પ્રસંગને અનુરૂપ કર્યુ હતું અને કાર્યક્રમમાં પ્રસંગોચિત વકતવ્ય રાજેશ સોલંકી દ્વારા આપવામાં આવ્યું તેમજ DJYVS ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી દ્વારા સમાજ ઉપયોગી વાત કરી અને સમસ્ત BSKC ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા હિતેશભાઈ ઝાલા, નિલેશભાઈ ભેડા, સામતભાઈ સોલંકી તેમજ તજજ્ઞોની ટીમ હાજર રહી જહેમત ઉઠાવી હતી…. તેમજ સમગ્ર કાર્યક્રમ આયોજન રાહુલભાઈ વાંઝા દ્વારા કરવામાં આવ્યું હતુ…..આજના સંકલ્પ દિવસે સમસ્ત દેશવાસીઓને અને સ્વતંત્રતાના તેમજ સમાનતાના અને ભાઈચારો નિર્માણ કરનાર સર્વ સમાજના લોકોને શુભકામનાઓ…
