
*પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ*
તા. 15 ડિસેમ્બર, 2022 થી તા. 15 જાન્યુઆરી, 2023
ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે, સરદાર પટેલ રિંગ રોડ, અમદાવાદ
*30 દિવસના કાર્યક્રમોની સંભવિત રૂપરેખા*
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં મુખ્યત્વે વિવિધ વિષયના કાર્યક્રમો યોજાશે તેની સૂચિ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જાહેર કરી છે તે આ મુજબ છે:
