11 ડિસેમ્બરે ઉતર ગુજરાત લોહાણા સમાજના અગ્રણી તેમજ જાણીતા સામાજીક કાર્યકર ભગવાનભાઈ બંધુનો 65 મો જન્મદિવસ
સમગ્ર બનાસકાંઠા તેમજ ઉતર ગુજરાતમાં લોહાણા સમાજ ઉપરાંત સમસ્ત માનવ સમાજમાં સેવાના ભેખધારી ગણાતા તેમજ “બંધુ” તરીકે ઓળખાતા ભગવાનભાઈ શીવરામભાઈ ઠકકરનો 11 ડિસેમ્બરે 65 મો જન્મદિવસ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ,જલારામ મંદિર ડીસાના ઉપપ્રમુખ,શાંતિધામ ડીસાના પ્રમુખ,અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના અધ્યક્ષ,બનાસ સાહિત્ય કલા સંઘના મંત્રી,આબુરોડ જલારામ મંદિરના ટ્રસ્ટી એવા ભગવાનભાઈ બંધુ અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે.રઘુવંશી લોહાણા મહાજન ડીસામાં તેઓ બે વાર પ્રમુખ રહી ચૂકયા છે.અખિલ રઘુવંશી લોહાણા સમાજ બનાસકાંઠાના તેઓ સ્થાપક પ્રમુખ હતા.શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળના આધસ્થાપક એવા તેઓ બનાસકાંઠા વન કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સરાહનીય સેવા આપી ચૂક્યા છે.હાલમાં તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય છે.છેલ્લા સાડા ચાર વર્ષથી એટલે કે 229 ગુરૂવારથી ડીસામાં શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં જે ભજનો થાય છે તેનું સુચારૂ સંકલન-સંચાલન તેઓ કરી રહેલ છે.બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા પ્રચારક તરીકેની જવાબદારી તેઓ વહન કરી રહેલ છે.બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી. સુધીનો અભ્યાસ ધરાવતા તેમજ એક સારા ઉદઘોષક,લેખક,સંચાલક તેમજ સંકલનકાર તરીકેની છાપ ધરાવતા ભગવાનભાઈ બંધુ ઉતર ગુજરાત સહિત સમગ્ર દેશ-વિદેશોમાં પણ સારા સંપર્કો ધરાવે છે.તેઓ એક પ્રભાવશાળી વક્તા છે.
