સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓને સ્વચ્છ બનાવવાના
સરકારના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં આપણે સૌ સહભાગી બનીએ”
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ ચરિતાર્થ કરવામાં આપણે સૌ સહભાગી બનીએ. ઈ-વ્હીકલનો સદ્ઉપયોગ કરી ગામમાં કચરાના નિકાલ અને ડમ્પીંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી સરકારના આ મિશનમાં સહભાગી બનવા ઉપસ્થિત સૌને પ્રમુખશ્રીએ અપીલ કરી હતી.
આવી છે જે પૈકી ૧૩ ઇલેક્ટ્રિક વ્હીકલની ચાવી મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીઓ અને તલાટી-મંત્રીશ્રીઓને અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સર્વે મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી આ ઈ-વ્હીકલ્સને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી અને યોજનાઓની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભારવિધિ નરસંગભાઈ છૈયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું.
આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, અગ્રણી સર્વશ્રી કે.કે. પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ દલસાણીયા તથા જિલ્લાના વિવિધ ગામડાઓના સરપંચશ્રીઓ અને તલાટી-મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




