
ફૂલછાબ ના બ્યુરોચીફ પત્રકાર સુરેશ ગોસ્વામી આજે
મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરવા રામનવમી ને રોઝુ રહેશે
ચૈત્રી નવરાત્રી નોમ રામનવમી રમઝાન ને સાઈબાબા નો ગુરુવાર ચારેય સંજોગ સાથે રહેશે
મોરબી ફૂલછાબ ના બ્યુરોચીફ પત્રકાર મોરબી પ્રેસ એસોસિએશન ના પૂર્વ પ્રમુખ ને પત્રકાર એસોસિએશન મોરબી ના કારોબારી સભ્ય મોરબી ગોસ્વામી સમાજ ના અગ્રણી એવા પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી કાલે તા 30 ને ગુરુવારે એકસાથે ચાર સહયોગ ભેગા થતા હોવાથી તે સમગ્ર મોરબી શહેર સુખશાંતિ ને હિન્દૂ મુસ્લિમ સહિત સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અને અલ્લાહ ને પ્રાર્થના સાથે તે ચૈત્રી નવરાત્રી નોમ રામનવમી ને રમઝાન માસ નું ૭ મુ રોઝુ ને સાંઈબાબા નો ગુરુવાર સાથે રહે છે.સુરેશભાઈ ગોસ્વામી છેલ્લા પંદર વર્ષથી સાંઈબાબા નો ગુરુવાર તો રહે જ છે. પણ આજે ગુરુવારે ચારેય સંયોગ ભેગા થતા તેને સાથે રહીને ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન વાત ને સાર્થક કરી મોરબી માં કોમી એકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.



