
*સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*
*મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ વિદ્યાર્થી ની ઉત્કૃષ્ઠ સિધ્ધી ને બિરદાવી.*
તાજેતર માં ICAI દ્વારા સી.એ. ફાઈનલ ની પરીક્ષા નુ પરિણામ જાહેર કરવા માં આવ્યુ છે તેમાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ટ્રસ્ટીશ્રી દેવેન્દ્રભાઈ હિરાણી ના સુપુત્ર અંકિત હિરાણીએ સી.એ.ફાઈનલ ની પરીક્ષા પાસ કરેલ છે. તેમની શૈક્ષણિક સિધ્ધી બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ સન્માનિત કરી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
