
*સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી*
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ની કારોબારીની મીટીંગ તથા સામાન્ય સભા આજરોજ દ્વારકા મુકામે યોજાયેલ જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના નવનિર્વાચિત ટ્રસ્ટીઓ ની જાહેરાત કરવામાં આવેલ.
નવ નિર્વાચીત ટ્રસ્ટીઓની મિટિંગમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડો અનિલભાઈ મહેતા-મોરબી, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ડી.જી.મહેતાસાહેબ-અમરેલી તથા ઉપપ્રમુખ તરીકે શ્રી છેલશંકરભાઈ જોશી-ગીર સોમનાથ ની વરણી કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ના તમામ હોદ્દેદારો એ નવનિર્વાચિત ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

