
*વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દીપમાળા, ભારતમાતા આરતી અને ત્યારબાદ join vhp અભિયાન નું વિમોચન*
જય શ્રી રામ
સમગ્ર હિંદુ સનાતન ધર્મ ની સેવા અને સુરક્ષા ના અનન્ય હેતુ અર્થે વર્ષ ૧૯૬૪ માં જન્માષ્ટમીના શુભ દિવસે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના પૂજનીય સાધુ સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ થયેલ છે આથી આજ ના આ વિશ્વ હિંદુ પરિષદ ના સ્થાપના દિન નિમિતે માતૃશક્તિ અને દુર્ગાવાહિની બહેનો દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદિર, ટીંબાવાડી ખાતે દીપમાળા અને ભારતમાતા ની આરતી માતૃ શક્તિ સંયોજિકા બિંદુબેન મારું અને દુગાવાહીની સંયોજિકા પદમાબેન બરછા દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ મંદિરના પૂજારી અને વિશ્વ હિંદુ પરિષદ જુનાગઢ મહાનગર દ્વારા “JOIN VHP” અભિયાન નો શુભારંભ કરેલ છે. જે અંતર્ગત સમગ્ર હિંદુ સમાજને સેવા, સત્સંગ અને સુરક્ષા ના કાર્યોમા જોડાવા એક અનેરો અવસર છે જેમાં જૂનાગઢ મહાનગરમાં વસવાટ કરતા દરેક હિન્દુઓને ડિજિટલ લિંક દ્વારા જોડાવવા માટે જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ભરતભાઇ ભીંડી અને જૂનાગઢ મહાનગરના મંત્રી એડવોકેટ જયેશભાઈ ખેસવાણી દ્વારા આહવાન કરવામાં આવે છે.
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874



