
આબુરોડ જલારામ મંદિરનો પાંચમો પાટોત્સવ રંગેચંગે યોજાશે
ગુજરાત રાજ્યની સરહદ પૂર્ણ થતાં જ રાજસ્થાનના પ્રવેશદ્રાર સમા આબુરોડમાં ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ મંદિર નિર્માણ પામેલ છે.આ મંદિરનો પાંચમો પાટોત્સવ તારીખ 10-12-2023 રવિવારે રંગેચંગે યોજાનાર છે.
પાટોત્સવ ઉજવણી નિમિતે સર્વ કરસનભાઈ પટેલ,બળદેવભાઈ ગટા,ધીરૂભાઈ પૂજારા,રાયચંદભાઈ છાયલા,તારાચંદભાઈ મજેઠીયા,શંકરલાલ હાલાણી,રવિભાઈ મજેઠીયા,પારકર યુવક મંડળ સુંદરકાંડ સમિતિ,કુંવરજીભાઈ હાલાણી,કિશોરભાઈ વકીલ,રમેશભાઈ ચંદારાણા,જગદીશભાઈ ડી.આચાર્ય,પરેશભાઈ ઠકકર,કાશકુમાર વકીલ,હરજીવનભાઈ પોપટ,ગીતાબેન ઠકકર,અરવિંદભાઈ કકકડ સહિત પરિવારો તરફથી યોગદાન તેમજ સહયોગ નોંધાયેલ છે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સર્વ પ્રવિણભાઈ એસ.હાલાણી,સુરેશભાઈ કારિયા,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ ગટા,મહેશભાઈ ઉડેચા,તુલસીભાઈ પલણ,મહેશભાઈ જે.પોપટ,કલ્પેશભાઈ અનડા સહિત સૌકોઈ પ્રયત્નો કરી રહેલ છે.આબુરોડ ગુજરાતી સમાજના સંજયભાઈ દેસાઈ સહિત સૌ મિત્રોનો પણ આ સત્કાર્યમાં તન,મન,ધનથી સંપૂર્ણ સહકાર છે.
પાટોત્સવમાં ડીસાથી વધારે સંખ્યા થાય તે માટે આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી,મહેશભાઈ ઉડેચા,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,વિષ્ણુભાઈ સી.ઠકકર,વિનોદભાઈ આચાર્ય તેમજ લોહાણા ઈન્ટરનેશનલની બહેનો પૂજાબેન ઠકકર,બીનાબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર,શિલ્પાબેન ઠકકર સહિત સૌકોઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.
