
શ્રી ભાણ સાહેબ ટ્રસ્ટ કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે શ્રી અષાઢી બીજ મહોત્સવ શ્રીમતિ મીનાબેન મહેન્દ્રભાઈ હાલાણી પરિવાર યજમાન પદે શ્રી બટુક ભોજન પ્રસાદ સાથે ધામધૂમથી ઉજવવામાં આવેલ શ્રી દાદાના અખંડ જ્યોત દાતા પરિવાર શ્રી નરેન્દ્રભાઈ પુજારા – સુરેન્દ્રનગર તથા બીજ મહોત્સવ યજમાન પરિવાર નું મંદિર સમિતિ પ્રમુખશ્રી જીતુભાઈ કોટક શ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી ભરતભાઈ કોટક દ્વારા સન્માનિત કરવામાં આવેલ આ શુભ અવસરે શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ પ્રમુખશ્રી પ્રવિણભાઈ પુજારા પૂર્વ આગેવાન શ્રી રાજુભાઈ હાલાણી – અમદાવાદ લોહાણા સમાજ પૂર્વ પ્રમુખશ્રી શ્રી સી. સી. ઘેલાણી શ્રીમતી રેખાબેન ઘેલાણી હાજર રહ્યા હતા શ્રી કાંતિભાઈ પુજારાએ હાજર ભક્તજનોને આવકારેલ શ્રી અમિતભાઈ હાલાણી એ હાજર ધર્મ પ્રેમી ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કરેલ સમગ્ર સંચાલન સમિતિ આગેવાન શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલ દક્ષિણી તરફથી કરવામાં આવેલ
