
મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગામ તળમાં ગ્રામ પંચાયતની જમીન ઉપર ખડકાયેલ અલગ અલગ ચાર ગેરકાયદે બાંધકામો ઉપર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
સતાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગામતળ તેમજ ગ્રામ પંચાયતની જમીન ઉપર શૌચાલય, નિરણ ભરવાના વંડા સહિતના અલગ અલગ ચાર બાંધકામ ખડકાય ગયા હોય આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાની કાયદો અને વ્યવસ્થા જાળવણીની જવાબદારી વચ્ચે ટીડીઓ તેમજ સર્કલ ઓફિસર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.


