
ટંકારા તા ૧૬ *(નૈમિષ સેજપાલ ટંકારા)* તાલુકા બસપા યુનિટ દ્વારા દર વર્ષ ની જેમ આજ તારીખ ૧૫, જાન્યુઆરી ના રોજ સામાજીક પરિવર્તન ની મહાનાયિકા, આત્મ સમ્માન અને સ્વાભિમાનની પ્રતીક , યુપી માં ચાર ચાર વાર મુખ્યમંત્રી પદે રહેલ, બહુજનો ની આન, બાન, શાન…. બીએસપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ,,, ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજ ના મસીહા… પરમ આદરણીય બહેન કુ.માયાવતી જી ના ૬૮ માં જન્મદિવસ ને “જન કલ્યાણ કારી દિવસ “તરીકે મનાવવામાં આવ્યો હતો. ટંકારા તાલુકાના બહુજન સમાજ પાર્ટીના સક્રિય કાર્યકરો પ્રવીણભાઈ ચૌહાણ,હેમંતભાઈ ચાવડા, દિલીપભાઈ મકવાણા, મનુભાઈ પરમાર, દિનેશભાઈ ગોહિલ, કિશોરભાઈ પારીયા રમેશભાઈ વરણ, જીવરાજભાઈ રાણવા, મુકેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ ચૌહાણ, આશિષ ચૌહાણ,જોસનાબેન રાઠોડ, મોહિત ચાવડા તથા રોહિત ચાવડા , સલીમ ભાઈ માડકિયા તેમજ અન્ય નિષ્ઠાવાન મિશનરી મિત્રો દ્વારા ટંકારા ગામ તથા આજુબાજુ નાં છેવાડાના વિસ્તારોમાં, ઝુગ્ગી ઝૂંપડાઓમા અને મજુર વસાહતો માં જઈ ગરીબ અને પછાત વર્ગ ના બાળકોને સ્પેશિયલ બનાવેલા ૫૦૦ નંગ મોટા પફ અને બિસ્કીટના પેકેટો આપી નાના નાના ભૂલકાંઓ ના ચહેરા ઉપર નિર્દોષ હાસ્ય ની ચમકની સાક્ષીએ બહેનજી નાં સ્વસ્થ અને દીર્ઘાયુ ની મંગલ કામનાઓ સાથે જન્મદિવસની ઉજ TVવણી કરવામાં આવી હતી.
🐘🐘🐘🐘🐘
બહુજન સમાજ પાર્ટી
જિંદાબાદ ,જિંદાબાદ





