
વાંકાનેર શહેર માં આજરોજ ભગવાન શ્રી પરશુરામ દાદા નાં જન્મોત્સવ નિમિતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા માં કોમી એકતાના દર્શન થયા…
આજરોજ ભગવાન શ્રી પરશુરામ દાદા નાં જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળેલ.. જેમાં.. કોમી એખલાસ અને કોમી એકતા નાં દર્શન થયા… મેઈન બજાર માં શોભાયાત્રા પહોંચેલ ત્યારે ભગવાન પરશુરામ દાદા ની પ્રતિમા ને .. વેપારી વર્ગ અને રફીક ભાઈ ચૌહાણ – સમસ્ત મુસ્લિમ સમાજ યુવા અગ્રણી અને હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ નાં પ્રમુખ દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદા ને ફૂલહાર કરી બ્રહ્મ સમાજ અગ્રણી નું શાલ ઓઢાડીને સન્માન કરેલ.. સાથે.. રાજુભાઈ મઢવી – નોટરી વકીલ અને અન્ય બ્રહ્મ સમાજ અગ્રણી..
આ શોભાયાત્રા માં સમસ્ત મુસ્લિમ સમાજ અગ્રણી અને કોંગ્રેસ યુવા નેતા માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન એવા ભાઈ શ્રી સકિલ પીરઝાદા.. શ્રી મહંમદ ભાઈ રાઠોડ – પીઢ અકિલા નાં પત્રકાર .. અફઝલ ભાઈ લાખા – યુવા મુસ્લિમ અગ્રણી .. ઝાકીર ભાઈ બ્લોચ – બ.સ.પા. નાં કાઉન્સિલર.. ફિરોઝભાઈ વિગેરે તેમજ સમસ્ત મુસ્લિમ યુવા ગ્રુપ નાં યુવાઓ સાથે રાજુભાઈ મઢવી- રાજગોર નોટરી એડવોકેટ.. રઘુભાઈ રાજગોર.. ભરત ભાઈ ઓઝા સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ વિગેરે દ્વારા ભગવાન પરશુરામ દાદા ની પ્રતિમા ને ફૂલહાર કર્યા અને સમસ્ત બ્રહ્મ અગ્રણીઓ નું ફૂલહાર કરી સન્માન કર્યું તેમજ સમસ્ત સોભાયત્રા માટે ઠંડા પાણી પીવડાવી કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું


