શહેજાદાએ પીર મદની સરકાર મુફ્તી એ મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સીદીકમિયા બાપુ કાદરીએ આફાની દુનિયાને અલવિદા કરી
(રીપોર્ટ મહમદશા શાહમદાર દ્વારા મોરબી) શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીક મિયા બાપુ કાદરી તારીખ ૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવાર રોજ રાત્રે ૧૧:૪૫ કલાકે આફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા છે મરહુમની આખરી સફર અંગ્રેજી તારીખ ૧૨/૦૬/૨૦૨૪ બુધવારે સાંજે પાંચ(૫) કલાકે ખાનકાયે આલીયા કાદરીયા જિલ્લાનીયા સિપાઈ વાસ મોરબી થી નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત સાથે સાથે તેમના અને તેમના ચાહવા વાળા શહીત તમામ જ્ઞાતિના લોકો હજારોની સંખ્યામાં હાજર રહી મર્હુમ ને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે આખરી અલવિદા કરી હતી


