
ડીસા માલધારી સમાજના અગ્રણી સરતાનભાઈ રાયકાને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી
ડીસાના ખૂબ જ જાગૃત,ઉત્સાહી અને સક્રિય યુવાન એવા બળદેવભાઈ રાયકાના પિતાજી તેમજ માલધારી સમાજના અગ્રણી આદરણીય સરતાનભાઈ હીરાભાઈ રાયકાનું તાજેતરમાં નિધન થતાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.તમામ સંસ્થાઓ અને ડીસા નગર વતી ભગવાનભાઈ બંધુએ લાગણીસભર શબ્દોમાં સરતાનભાઈ રાયકાના ગુણાનુવાદ કરી દિવ્ય શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ સમયે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા,પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા,વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,જયંતિભાઈ ઓઢાવાળા,ઈશ્ર્વરભાઈ રાવળ,કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,તારાચંદભાઈ મજેઠીયા,દીલીપભાઈ રતાણી,ભરતભાઈ ભાવિક,નરેશભાઈ ડી.આચાર્ય,ગફુલભાઈ દેસાઈ,અમરતલાલ અવસ્થી,ખોડાભાઈ દેસાઈ,અમરતલાલ પઢિયાર,વિષ્ણુભાઈ ઠકકર,દિનેશભાઈ કવિરાજ,ચંદુભાઈ એટીડી,હરેશભાઈ દવે,ભરતભાઈ દેવડા,જયેશભાઈ દેસાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાસ્ત્રીજી ગૌશાળા,જય જલારામ ટ્રસ્ટ,ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા વતી શોક સંદેશ આપવામાં આવ્યા હતા.
દુખની વસમી વેળાએ આશ્ર્વાસન આપી પરિવારને હિંમત બક્ષવા બદલ બળદેવભાઈ રાયકાએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
