આજરોજ ૭૧માં રાષ્ટ્રીય સંવિધાન નિમિત્તે વર્તમાન સમય માં સંવિધાન નું મહત્વ એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા આયોજન કરેલ હતું તેના ઇનામ વિતરણ કાર્યક્રમ માં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગીરીશભાઈ સરૈયા સાહેબે ખાસ ઉપસ્થિતિ આપી વિજેતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત સંવિધાન રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલ હાર કરી હતી. આ તકે ભારતીય સંવિધાનના આમુખ નું વાંચન કરી ભારતીય નાગરિક તરીકે સંવિધાન નું પાલન કરવાના શપથ લેવા માં આવ્યા હતા.
યોજાયેલ સ્પર્ધા માં કુલ ૨૮ લોકો એ ભાગ લીધેલ હતો જેમાંથી ત્રણ વિજેતાઓ ને જાહેર કરવા માં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમાંક મિથુન વાલજીભાઈ રાણવા દ્વિતીય ક્રમાંક ધ્રુવીલ વિરલભાઈ જાનાણી અને તૃતીય ક્રમાંક પર સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહયા હતા…
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમતા ફોઉન્ડેશન ના તમામ સભ્યો એ જહેમત ઉઠાવી હતી…


