જોડિયા તાલુકાના બાલભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે. જેની જોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અને જોડિયા પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ રહેલ વિગતો પ્રમાણે જોડિયા નજીક બાલભા ગામે ઉદાસીન આશ્રમ આવેલ છે. અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર ભાળે છે. એવા માં થોડા સમય પૂર્વે આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને સત દ્વારા ફોન કરી ને એવું કહ્યું કે હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો.અને નજીક ના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી 40 વર્ષ ની પરિણીત ને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને ભોગબનનાર પરણિતતા. ને જ્યારે મહંત ના પગ દબાવી રહી હતી.ત્યારે સત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલા ને તેની બાહોમાં લઇ લીધી હતી. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ આ ફરિયાદી એ મોડી મોડી ફરિયાદ દાખલ થવા પાછળ નું કારણ કઈક એવું હતું.કે સત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકી ઓ આપતો હતો કે જો આ બાબત ની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓ ને કહીને તમને નુકસાન પહોંચાડીશ .તેવી ધમકીઓ આપતા હતા. જે બાબત ની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા PSI એમ.આર. વાળા. સહિત ના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરી રહ્યા છે….
શરદ એમ.રાવલ…હડિયાણા….