
ટંકારા ખાતે પરણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવાના ગુનામા ગુનો રજી કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓ ની સુચના મુજબ મહીલા અને બાળકો વિરુધ્ધ બનતા બનાવમા સંવેંદનશીલ રહી તાત્કાલીક આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા જણાવેલ હોય જે આધારે નાયબ પોલીસ અધીક્ષક શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓએ કામગીરી કરવા માર્ગદર્શન કરેલ હોય.
જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનમા ગઈ તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદી શ્રી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર રહે.ઉંટડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગર નાઓ દ્રારા ટંકારા પોસ્ટે તેઓએની મરણ જનાર દિકરી બાબતે આ કામના આરોપીઓ (૧)શુભમ સ/ઓફ હિરાલાલ પનારા (રાવળદેવ) તથા (૨) હિરાલાલ કરશનભાઈ પનારા (રાવળદેવ) તથા (૩) રિનલબેન વા/ઓફ હિરાલાલ પનારા (રાવળદેવ) રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી оч -તા.ટંકારા જી.મોરબી વાળા વિરુધ્ધ તેઓએની દિકરીને શારીરીક માનશીક ત્રાસ આપી આરોપીઓ એ ફરીયાદીની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમા ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરુર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા જેથી આ બાબતે ફરીયાદીની દિકરી કિંજલને આરોપીઓ દ્રારા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા જે ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી મરણ જતા ઉપરોક્ત વિગતે ગુનો જાહેર થયેલ હોય જે કામની તપાસ પો.ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા નાઓ ચલાવાતા હોય ઉપરોક્ત ગુનાના કામેના આરોપીઓને તાત્કાલીક પુરતા પુરાવા મેળવી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીઓને કોર્ટ હવાલે કરવામા આવેલ છે.હાલમા આગળની વધુ તપાસ ચાલુ છે.
