
*સલાયા મધ્યે બિરાજતા ગ્રામ દેવતા શ્રી માધવરાય ભગવાનના પાટોત્સવ નિમિતે આંબા ઉત્સવનું ભવ્ય આયોજન*
સલાયા:તા ૩ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયામાં ગ્રામ દેવતા શ્રી માધવરાયજી ભગવાન નું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ તારીખ 6-6-25 ના શુક્રવારે ભીમ અગીયારસ ના રોજ હોઈ જે નિમિતે પ્રથમવાર આ પાટોત્સવ નિમિતે મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા રહેતા રઘુવંશી અગ્રણી શ્રી સ્વ. રસિકભાઈ કેશવજીભાઇ તન્નાના ધર્મપત્ની સ્વ.મધુબેન રસિકભાઈ તન્ના ની સ્મૃતિમાં આંબા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ આંબા ઉત્સવના દર્શન સાંજે 5 થી 7 30વાગ્યા સુધી યોજશે. તો આ દર્શનનો લાભ લેવા મંદિરના મુખ્યજી શ્રી શ્યામભાઈ દવે દ્વારા ભાવ ભરેલું નિમંત્રણ આપવામાં આવ્યું છે.આ આંબા ઉત્સવની તૈયારીઓ સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા અને એમની ટીમ કરી રહી છે.

