
*!!.. વાંકાનેર મીલ સોસાયટી ના રહીશ રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજા ને ચેક રિટર્ન કેસ માં એક વર્ષ ની સજા તેમજ રૂપિયા પાંચ લાખ ચૂકવણી નો હુકમ કરતી વાંકાનેર નામદાર કોર્ટે ..!!*
વાંકાનેર ના શુભમ પિયુષભાઈ ભાટી એ જૂના મિત્રતા ના દાવે ધંધા ના હેતુ માટે રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજા ને રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના આપેલ હતા જે રકમ પરત માગતા આ કામ ના આરોપી એ પોતાની બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વાંકાનેર શાખા નો ચેક આપેલ જે ચેક ફરિયાદી એ બેંક માં વટાવતા Funds Insufficient ના બેંક ના શેરા સાથે પરત ફરતા ફરિયાદી એ વાંકાનેર ના વિદ્વાન નોટરી વકીલ શ્રી રાજેશ એમ.મઢવી મારફતે કાયદેસર લીગલ ડિમાન્ડ નોટિસ આપવા છતાં ફરિયાદી ની કાયદેસર લેણી રકમ ન ચૂકવતા વાંકાનેર કોર્ટે માં The Negotiable instrument Act 138 મુજબ ધોરણસર ની ફરિયાદ દાખલ કરેલ જે કેસ નામદાર કોર્ટે માં ચાલી જતા ફરિયાદ પક્ષ તેમજ ફરિયાદી ના વિદ્વાન વકીલ શ્રી ની ધારદાર દલીલ ને ધ્યાન માં રાખી નામદાર કોર્ટે આ કામ નાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજા ને એક વર્ષ ની સજા તેમજ રૂપિયા પાંચ લાખ ફરિયાદી ને ચૂકવવા હુકમ કરેલ છે .. *આ કામ માં ફરિયાદ પક્ષે વાંકાનેર ના વિદ્વાન નોટરી વકીલ શ્રી રાજેશ એમ. મઢવી તેમજ નારાયણ એન.ગોસ્વામી રોકાયેલ હતા..*
