
ડીસામાં શબરીસ્વરૂપા તુલસીબેનના નિવાસસ્થાને જલારામબાપાનાં થયાં ભજન
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 365 મા ગુરૂવારે શબરીસ્વરૂપા માતુશ્રી તુલસીબેન રામપ્રસાદભાઈ ઠક્કરના નિવાસસ્થાને પૂજ્ય જલારામબાપાના ભજનમાં માનવમહેરામણ ઉમટ્યું હતું.સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત રહેલ જલારામ ભક્તોએ ભજનનો નિજાનંદ માણ્યો હતો.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 80000 એંસી હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.
માતુશ્રી તુલસીબેન ઘણા સમયથી પૂજ્ય જલારામબાપા ભજન સ્વરૂપે એમના નિવાસસ્થાને પધારે તેની શબરીમૈયાની જેમ રાહ જોતાં હતાં.તેમનુ આ સ્વપ્ન પૂર્ણ થતાં તેમણે શબરીમૈયાનો વેશ ધારણ કરી પોતાની નૃત્ય અભિવ્યક્તિ રજૂ કરી હતી.આગામી ગુરૂવારના ભજન માટે ભરતભાઈ લાલચંદજી અગ્રવાલે ભજન માટે એમના નિવાસસ્થાને પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જલારામ ભક્તોનું માતુશ્રી તુલસીબેન રામપ્રસાદભાઈ ઠક્કર પરિવારે પુષ્પવર્ષા કરી સૌનું અભૂતપૂર્વ સન્માન કર્યું હતું તેમજ તેમના પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
