
આદરણીય સભ્યો,
નમસ્કાર!
ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્રારા કાયમી પ્રકલ્પ “*ગુરુ વંદન છાત્ર અભિનંદન*” ની ઉજવણી હાલમાં પૂર્ણ થઈ, જેમાં મોરબી શાખાનાં સભ્યો તેમજ પ્રકલ્પ સંયોજકએ ખૂબ જ ઉત્સાહભેર આયોજન કરેલ. મોરબી શાખા દ્રારા કુલ *૪૧ શાળાઓમાં ૮૩૭૬ વિદ્યાર્થીઓ* સાથે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. તારીખઃ ૦૫/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધી આયોજનબદ્ધ રીતે અલગ-અલગ શાળાઓમાં કાર્યક્રમ કરેલ જેમાં મોરબી શાખાનાં સભ્યો હાજર રહેલ તેમજ ગુરુપૂર્ણિમા નાં રોજ જે શાળાઓમાં કાર્યક્રમ થયેલ ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેની ભગિની સંસ્થાઓનાં વક્તાઓને સાથે આમંત્રિત કરેલ જેથી બાળકોને વિશેષ માર્ગદર્શન મળે. આ કાર્યક્રમનાં સફળ આયોજન બદલ સંયોજકશ્રી વિનુભાઈ મકવાણા તેમજ સહસંયોજકશ્રી મનહરભાઈ કુંડારીયા, શાખાનાં બધાં સભ્યો, શાળાનાં સંચાલકો, ગુરુજનો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)






