• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

  •  ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવાયો છે.
  • સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે

અમિત રાજપૂત/અમદાવાદ :રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આવતીકાલથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આવતીકાલે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

અમદાવાદીઓને ટ્રાફિકના ત્રાસમાંથી મુક્તિ મળશે
વર્ષ 2016-17માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતા. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે આ બંને ફ્લાયઓવર અમદાવાદીઓની સુવિધા માટે ખૂલવા જઈ રહ્યાં છે.

દેવદિવાળીએ બંને ફ્લાયઓવર ખુલ્લા મૂકાશે
દેવદિવાળીના તહેવારે ગૃહમંત્રી અમિત શાહ બંને ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. બંને ફ્લાયઓવર શરૂ થતા જ અહીથી પસાર થતા લાખો નાગરિકોને સુવિધા અને સરળતા મળશે. સાથે જ ટ્રાફિકની જામની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:ગુજરાતી સિનેમાના 3 એકકા મોરબીના શિક્ષણ જગતના એક્કા નવયુગ ને આંગણે*

editor

*HELLO MORBI: હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ પોસ્ટ મુકનારની પોલીસ જાહેરમાં સરભરા નહીં કરે ત્યાં સુધી પડધરીના વેપારી ધંધા રોજગાર બંધ રાખશે*

editor

Leave a Comment