• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

  •  ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવાયો છે.
  • સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે

અમિત રાજપૂત/અમદાવાદ :રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આવતીકાલથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આવતીકાલે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

અમદાવાદીઓને ટ્રાફિકના ત્રાસમાંથી મુક્તિ મળશે
વર્ષ 2016-17માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતા. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે આ બંને ફ્લાયઓવર અમદાવાદીઓની સુવિધા માટે ખૂલવા જઈ રહ્યાં છે.

દેવદિવાળીએ બંને ફ્લાયઓવર ખુલ્લા મૂકાશે
દેવદિવાળીના તહેવારે ગૃહમંત્રી અમિત શાહ બંને ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. બંને ફ્લાયઓવર શરૂ થતા જ અહીથી પસાર થતા લાખો નાગરિકોને સુવિધા અને સરળતા મળશે. સાથે જ ટ્રાફિકની જામની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.

Related posts

*30મીએ મોરબી પાલિકાનું 750 કરોડનું ઐતિહાસિક તોતિંગ બજેટ રજૂ થશે* *વિકાસ કામોની ભરમાર : મોરબીની ઓળખ સમો* **ઝૂલતો પુલ ફરી ઝૂલશે* *રિવરફ્રન્ટનું સ્વપ્ન ફરી દેખાડાયુંનટરાજ ફાટક અને કુબેરનગર પાસે બે* *ઓવરબ્રીઝ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:નીલકંઠ વિદ્યાલય તેમજ ઇન્ડિયન લાયૉનેસ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂર વિષય હેઠળ ચિત્ર સ્પર્ધા તેમજ લૅખીત ક્વીઝ સ્પર્ધાનું આયોજન*

editor

*HELLO MORBI NEWS:મોરબી OSEM CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસ માં ઝળક્યા.*

editor

Leave a Comment