
મોરબી:તા ૨૬ શ્રીસદગુરુ પરમાત્મા પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા પ્રસાદ સ્વરૂપ,ભજનભૂમિ શ્રીખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં અનંત શ્રીવિભૂષિત પરમ પૂજ્યા માં શ્રી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમ શુક્રવાર તારીખ 28 નવેમ્બર 2025 થી માગશર સુદ તેરસ મંગળવાર તારીખ 2 ડિસેમ્બર 2025 સુધી,સાધુ સંતો તથા વિદ્વાન આચાર્યોના પાવન સાનિધ્યમાં પંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આ દિવ્ય ધર્મોત્સવ નો લાભ લેવા ધર્માનુરાગીઓને હાર્દિક નિમંત્રણ છે .
*કાર્યક્રમની રૂપરેખા* પંચમુખાત્મક
*શ્રીવિષ્ણુ મહાયજ્ઞ*. તા.28 નવેમ્બર 2025 થી 2 ડિસેમ્બર 2025 સુધી
*સંતવાણી ભજન સંધ્યા* તા.29 નવેમ્બર 2025 રાત્રે 9:30 કલાકે
*કલાકાર*
શ્રીપરસોત્તમપરી બાપુ
શ્રીજયશ્રીદાસ માતાજી *સંતોના આશીર્વાદ (ધર્મસભા)* તા.30 નવેમ્બર 2025 સવારે સાત કલાકથી
*શ્રીનવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધૂણી સ્થાપના*
તા.30 નવેમ્બર 2025 બપોરે 12:00 કલાકે
*યજ્ઞપૂર્ણાહુતિ*
તા. 2 ડિસેમ્બર 2025 બપોરે 12:30 કલાકે
*સ્થાન*
શ્રીખોખરા હનુમાન હરિહર ધામ બેલા,ભરતનગર તા.જિ .મોરબી
*નિમંત્રક*
શ્રીખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર,ભારત
