
દિલ્હી:તા ૩ આજ રોજ, ગુજરાત રાજ્યના રાજ્યસભાના માનનીય સાંસદશ્રીઓએ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીની નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારનાર અને રાજ્યસભાના સભ્ય, શ્રી કેસરીદેવસિંહ ઝાલા પણ જોડાયા હતા.
