
જલારામ મંદિર ડીસા ખાતે ઠંડા પાણીની પરબનું કરવામાં આવ્યું ઉદઘાટન
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે તે માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ જલારામ મંદિર ડીસા દ્રારા ઠંડા પાણીની પરબનું જલારામ ભક્તો દ્વારા દીપપ્રાગટ્ય કરી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે કનુભાઈ આચાર્ય, શારદાબેન આચાર્ય, શશીકાંતભાઈ ડી ઠક્કર, ભગવાનભાઈ બંધુ, બળદેવભાઇ રાયકા, આનંદભાઈ પી ઠક્કર,કમલેશભાઈ રાચ્છ, દીલીપભાઇ રતાણી, જ્યોતિબેન આર ઠક્કર, હિતેશભાઈ સોનપાલ, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર, કનુભાઈ ગોકલાણી, દિનેશભાઈ કવિરાજ, કેશવલાલ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, રાજેન્દ્રભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ આર ઠક્કર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાના ભજનના 400 મા ગુરૂવાર નિમિત્તે સૌએ જલારામ મંદિર ડીસા ખાતે 108 દીવાની મહાઆરતીમાં ભાગ લીધો હતો.

