*તા.૩૧-૧૨-૨૦૨૦ સુધી મા ફોર્મ જમા કરાવવા અનુરોધ*
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા લોહાણા સમાજ ના ધો-૯ તથા ઉપરના ધોરણ ના વિદ્યાર્થીઓ માટે આગામી સમય મા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ નુ આયોજન કરવા મા આવેલ છે. જેમા દરેક ધોરણ ના પ્રથમ તથા દ્વિતિય ક્રમાંક મેળવનાર ને સન્માનિત કરી ઈનામ થી પુરસ્કૃત કરવા મા આવશે. ફોર્મ મેળવવા માટે મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર, કુબેરનાથ રોડ, મોરબી, દરિયાલાલ આલુ ભંડાર, નવાડેલા રોડ, મોરબી, કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડ સામે તથા જમા કરાવવા માટે મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર, કુબેરનાથ રોડ, મોરબી નો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૩૧-૧૨-૨૦૨૦ હોય, તે પહેલા દરેક વિદ્યાર્થી ભાઈઓ-બહેનો એ ફોર્મ જમા કરાવવા અનુરોધ કરાયો છે. કોવિડ-૧૯ ની મહામારી ને પગલે કાર્યક્રમ વિશે ટેલિફોનીક જાણ કરવા મા આવશે તેમ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબીની યાદી મા જણાવ્યુ છે.
