.
જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ગત વર્ષે માળીયા તાલુકા ના ગામો માટે મોરબી જિલ્લા માં પીપળીયા ચાર રસ્તા ખાતે એક સી.સી.આઇ નું કપાસ ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ હતું
પરંતુ ચાલુ વર્ષે આ કેન્દ્ર હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી અને જેના કારણે આ વિસ્તાર ના ખેડૂતો પોતાનો કપાસ વેચવા ક્યાં જવું તે અસમંજસ માં પડેલા છે. તો અમારી નમ્ર વિનતિ છે કે માળીયા તાલુકા ના ખેડૂતો માટે પીપળીયા ચાર રસ્તા ખાતે સી.સી.આઇ નું ખરીદ કેન્દ્ર તાત્કાલિક ચાલુ કરવા યોગ્ય કરવા વિનતિ.
આપના સ્નેહાધીન
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાત રાજ્ય નવા સચિવાલય
ગાંધીનગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(2) પ્રતિ શ્રી પરેશ ભાઈ ધાનાણી સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા
સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(3) પ્રતિ માનનીય શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(4) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.
