આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જામનગર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવા મેડમ અને જોડિયા મામલતદાર સરપદડીયા અને જોડિયા તાલુકા ઈન્ચાર્જ વિકાસ અધિકારી સોરઠીયા તથા A..TDO રાવલ ની હાજરીમાં વિદાય અને સન્માન કાર્યક્રમ માં જોડિયા તાલુકામાં નિવૃત થયેલ જે કર્મચારીઓ (૧) શ્રી રમેશભાઈ કાલાવડીયા (૨) કે.એન.નદાસણા(૩)એસ.પી.પોપટ(૪) જે.પી.જાની આ કર્મચારીઓ નો વિદાયમાન અને પ્રમોશન મેળવેલ (૧)એમ.જે.જાડેજા (૨) પી.એ.ઘેટિયા (૩) વી.જી.ચૌહાણ (૪) એચ.એમ.કાનાણી.નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખશ્રી ડી.વી.જાડેજાએ તમામ મહાનુભાવો નું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ પનારા એ કર્યું હતું. આભાર વિધિ વિનોદભાઈ લીંબાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.