વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા રાઠોડ મગનભાઈ વસ્તાભાઈ ગત તા. 31 ડિસેમ્બરના રોજ એ.એસ.આઈ.ના હોદા પરથી વય નિવૃત્ત થયા હતા. તેમની નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ હતી. રાઠોડ મગનભાઈએ ઈમાનદારીપૂર્વક પોલીસ બેડામાં ફરજ નિભાવી દેશ સેવા કરી 31 ડિસેમ્બરે વય નિવૃત્ત થયા હતા. ત્યારે કર્મચારીઓ, સગા-સબંધીઓએ નિવૃત્તિ વેળાએ મગનભાઈને દીર્ધાયુ અને સુખ-શાંતિમય જીવનની શુભેચ્છા પાઠવી છે.
