જામનગર સહિત ગુજરાતભરમાં સૌથી નાની વયના ઉમેદવાર મનિષા બાબરીયાને ટિકિટ આપવામાં આવી
ભાજપે જામનગરના વોર્ડ નંબર 1માં માત્ર 21 વર્ષના મનિષા બાબરીયાને ટિકિટ આપી
જામનગરમાં વોર્ડ નંબર 1 અતિ પછાત અને વિકાસ વિહોણો વોર્ડ છે. જોકે ભાજપે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 64 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં જામનગર સહિત ગુજરાતભરમાં સૌથી નાની વયના ઉમેદવાર મનિષા બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. મનિષા અનિલભાઈ બાબરીયા માત્ર 21 વર્ષના છે અને તે વોર્ડ નંબર 1માંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
યુવાઓએ સક્રિય રાજકારણમાં આવવું જોઈએ
સામાન્ય પરિવારમાંથી આવતા મનિષાબેને સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. તો સાથે જ તેમણે આજની નવી પેઢીને પણ એક મેસેજ આપ્યો છે કે, યુવાનોએ પણ હવે રાજકારણમાં વધુ સક્રિય થવું જોઈએ. તેમણે કહ્યું કે, યુવાઓ હંમેશા રાજકારણથી દૂર રહે છે. પરંતુ સારી રાજનીતિ અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે યુવાઓએ આગળ આવવુ જોઈએ. યુવા ડોક્ટર કે એન્જિનિયર બને છે. પણ હવે સમય આવી ગયો કે યુવાઓમાં રાજકારણમાં આવવુ જરૂરી છે….
શરદ એમ.રાવલ.હડિયાણા….