


હાલ કોરોના ની મહામારી માં જિલ્લાની હોસ્પિટલ ના બેડ ખાલી ના હોય અને બેડ ની અછત સર્જાઈ છે ત્યારે પડધરી તાલુકા માં સાઈ શૈક્ષણિક સંકુલ ખાતે કોવીડ કેર સેન્ટર નુ ઓપનિંગ કરવામાં આવ્યું.
ડૉ. શિતાંશું પૂજારા સાહેબ દ્વારા આ કોવીડ કેર સેન્ટર ખોલવામાં આવ્યુ છે. આ covid કેર સેન્ટરમાં દર્દીઓને એક દિવસના માત્ર 1500 રૂપિયાના ન્યુનતમ ચાર્જમાં ત્રણ ટાઈમ જમવાનું તેમજ મેડીકલ ચેકઅપ અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કોવીડ કેર સેન્ટર હોવાથી અહીંયા કોઈ દર્દીને ઓક્સિજન કે વેન્ટિલેટર ની જરૂર પડે તો તેને તાત્કાલિક સિવિલ કે રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં શીફ્ટ કરવાના રહેશે તેવું ડૉક્ટર પુજારા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 
*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક*
