શરદ એમ.રાવલ.. હડિયાણા…
આજ રોજ શ્રlવણ વદ ચોથ ના દિવસે બોળચોથ તરીકે ઓળખાય છે અને આ દિવસે ગાય અને તેમના વાછરડા નું પૂજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શ્રlવણ માસ એટલે ધાર્મિક કાર્યક્રમો જેવા કે આજથી ગાય માતાનું પૂજન .આવતી કાલે પાંચમ નાગદેવતા નું પૂજન.અને છઠ ના દિવસે ઘરોમાં ચૂલાનું પૂજન કરવામાં આવે છે. અને આઠમા દિવસે કાનુડા ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ સમાજ ના દરેક ઘરોમાં અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવવામાં આવે છે. અને સાતમ ના દિવસે સિતળા માતાજી નું પૂજન કરવામાં આવે છે. આવી જ રીતે ધાર્મિક સ્થળો ઉપર માનવમહેરામણ ઉમટી પડે છે..
આજે દેશ ભરમાં ગાય માતાનું વિધીવત મહિલાઓ દ્વારા પૂજન કરવામાં આવે છે..આવી જ રીતે શ્રધા ભક્તિ નો સમન્વય થી દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે…

