

આ ઉદ્ઘાટન પ્રસંગમાં c ગુજકોમાસોલના ડિરેક્ટર ક્રિભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વોઇસ ચેરમેન શ્રી મગનભાઇ વડાવીયા, તાલુકા પ્રમુખ શ્રી પ્રભુ ભાઈ કામરીયા માજી ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલિયા તથા બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેલ.
ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા ૧૦૪૬ રાખેલ છે તથા એક ખેડૂતના મહતમ 125 મણ લેખે ચણા ખરીદવામાં આવશે.
ખરીદી કેન્દ્રનું સંચાલન શ્રી ટંકારા સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી શ્રી જીતુ ભાઈ ખોખાણી દ્વારા જણાવેલ.
