*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
*હિન્દુ મુસ્લિમ ભાઈચારો એ ગુજરાત ની પહેચાન છે : ઇમ્તિયાઝ પઠાણ*
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ આશાપુરામાના મંદિર થી સોમનાથ સુધી એકતા યાત્રાનું આયોજન કરાયું છે વિશાળ કાફલા સાથે આજે જૂનાગઢ ખાતે એકતા યાત્રા પહોંચી હતી ત્યારે ગુજરાતભરમાં મુસ્લિમ સમાજ માટે કામ કરતા અગ્રણી સંગઠન મુસ્લિમ એકતા મંચ દ્વારા આ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જૂનાગઢ મજેવડી ગેટ ખાતે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા કરણી સેના પ્રદેશ પ્રમુખ જે પી જાડેજા ને ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું અને નાની બાળાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સમગ્ર એકતા યાત્રા અને બિરદાવી હતી જે. પી.જાડેજા એ પણ રથમાંથી નીચે ઉતરી અભિવાદન ઝીલ્યું હતું આ તકે હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનો બંને અગ્રણી સંગઠનોએ સંદેશ આપ્યો હતો
