
(*લલીત નિમાવત દ્વારા*) શાંતીનગર તા ૧૩ શ્રી ચામુંડા માતા મંદિર, શાંતીનગર, બાલંભા તા.જોડિયા જી.જામનગર માં ગઇકાલે તા. 12 માર્ચ ના રોજ શાંતીનગર, હીરાપર-માનપર તથા બીણાધાર ગામની પ્રાથમિક શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે ખાસ હોળી પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી આશારામજી બાપુના રાજકોટ, જામનગર તથા મોરબી વિસ્તાર ના સાધક પરિવાર દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર નો સુંદર કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યા માં બાળકો ને એકાગ્રતા-યાદશક્તિ વધારવાના પ્રયોગો, હોળી ધુળેટી તહેવારો નું મહત્ત્વ તથા હસતા રમતા શુભ સંસ્કારો નું સિંચન કરવામાં આવ્યું તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને પ્રસંગોપાત ધાણી, દાળિયા અને ખજૂર નો પ્રસાદ આપવામાં આવેલ અને પ્રોગ્રામ ના અંતે બધાજ લોકો માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ તેની તસવીરી ઝલક… આ પ્રોગ્રામ ની શિક્ષકો તેમજ અન્ય મહેમાનો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


